વેરાવળ ખારવા સમાજ ની વાડી ખાતે કોવીડ 19 ના શંકાસ્પદ દર્દીઓ માટે ટેસ્ટ કરવા માટેનું આયોજન

વેરાવળ,

ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય શાખા તથા ગુજરાત મેરિટાઈમ બોર્ડ ના ડાયરેક્ટર તેમજ GFCCA ના ડાયરેક્ટર કિશોરભાઈ મોહનભાઇ ખુહાડા તેમજ સમસ્ત ખારવા સમાજ પટેલ જીતુભાઈ મોહનભાઇ કુહાડા ના સંયુક્ત ઉપક્રમે વેરાવળ ખારવા સમાજ ની વાડી ખાતે કોવીડ 19 ના શંકાસ્પદ દર્દીઓ માટે ટેસ્ટ કરવા માટેનું આયોજન કરવામાં આવેલ છે.

તો જે કોઈપણ ને શ્વાસ લેવાની તકલીફ પડતી હોય તથા તાવ, ઉધરસ, શરદી ના દર્દીઓ માટે ખાસ તપાસણી નો કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે, તો આવા દર્દીઓએ ખારવા સમાજની વાડી ખાતે નીચે મુજબના સમયમાં આવી તપાસ કરાવી જવા આથી અપીલ કરવામાં આવેલ છે. સ્થળ : વેરાવળ શ્રી સમસ્ત ખારવા સમાજ ની વાડી, સમય સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી. સાથે સાથે તમામ જનતા ને જાણ કરવામાં આવે છે કે આ ફક્ત સ્થળ પર નિદાન કરવામાં આવશે કોઈપણ ચિંતા કે ડર રાખ્યા વગર ફક્ત સ્થળ પર તપાસ કરાવી અને પોતાના ઘરે શકાશે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment